સુરત-'સોનાની મુરત' ભાગ : ૧
-સુરત એક જમાનાનું એ ભારતનું પહેલા દરજ્જાનું શહેર-પશ્ચિમકાઠા નું ઉતમ બંદર.સુરત બંદરે તાપીમાંના વાહનોમાં ચોરાશી બંદરોના વાવતા ઉડતા.સુરત સમુદ્ર હતું.એના રૂઆબ અને રોનક પરદેશી પ્રવાસીઊએ મુક્ત કાઠે વખણયા છે.પણ એ રોનક અને સમૃધીએ જ શિવાજી ને અને અન્યને લુટ માટે લલચાવ્યા,તો કુદરતે પણ પોતાનો પ્રકોપ દાખ્વયો અને આગ અને પુરમાં સુરત તારાજ થયું અનેક વાર - પણ તારાજીની કાલ વળતા જ એ પાછુ પુરા રૂઆબ સાથે બેઠું થયું છે.
- સુરત સ્વપ્ન્શીલો અને સહેલાણીઓનુ , સુધારકો અને સંસ્કૃતિ પ્રેમીઓનું નગર છે. દાંડીકુચ સુરત શહેરમાંથી પસાર થઇ એ પહેલા સો એક વર્ષ અગાઉ સુર્રતના સપુત અને ગુજરાતના અર્વાચીનોમાં આદ્ય સારસ્વત નર્મદે આ યુગી દાંડી પીતેલી અને ગુજરાત નું ગૌરવગાન લલકારેલું:
"જય જય ગરવી ગુજરાત ,
દીપે અરુણું પ્રભાત !"
-એ વીર સુધારકે વહેમ,અંધશ્રદ્ધા અને રુધીજળતા સામે વિદ્રોહ કરેલો - માત્ર લેખો,પત્રકારત્વ કે ભાષાનો થી જ નહી પણ કર્મ અને આચારણ થી.આ કવિ વીર નાર્માદની સ્મૃતિઓ સુરત આજેય આદરથી જાળવી રાખ્યું છે-તેમના નિવાસસ્થાન,પ્રતિમા અને'નર્મદ સાહિત્ય સભા'ની પ્રવુતીઓથી તથા તેમના તમામ લખાણોની સંશોધિત પ્રવુતિ ગ્રંથશ્રેણી દ્વારા.
-નર્મદ ઉપરાંત પણ સુરતે અનેક સાહિત્યકારો આપ્યા છે.ગુજરાતના પ્રથમ નાવ્લ્સઠાકર નુંન્દ્શંકર અને પ્રથમ વિવેચક નવલરામ,અગ્રણી કેળવણીકાર અને સુધારક સાહિત્યકાર મહીપતરામ નીલકંઠ તેમજ રમણભાઈ નીલકંઠ , સ્વપ્નદર્શી રણજીતરામ વાવાભાઈ,હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા,ઉતમ નાટ્યકાર ચં ચિ મહેતા,એકન્કીકાર બટુકભાઈ અને વર્તમાન પેઢીમાંય ગઝ્કાર ગણી દહીવાલા,નવલકથાકાર ભગવતીકુમાર શર્મા તેમ જ પારસી લેખક રતન માર્શલ વગેરે..મળ્ય્કાળમાં મહાકવિ પ્રેમાનંદે "મામેરું " અહી ક લલકારેલું, સાક્ષ્રર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ સુરતને જ પોતાનું ધાર કર્યું હતું.
-સુરતની સાહિત્ય તેમજ સંસ્કાર સેવાનો ઈતિહાસ સમૃદ્ધ અને ઉજ્જવળ છે.અગ્રગણ્ય ચિત્રકાર વાસુદેવ સ્માર્ત,શિક્ષણકરો-સાક્ષરો કમળાશંકર ત્રિવેદી,અતીસુખ્શંકર ત્રિવેદી અને રણછોડ દાસ ગીરધર દાસ ,પત્રકારો,કે જેમાં ઈચ્છારામ સૂર્યરામ,નટવરલાલ વીમાવાળા ઉપરાંત અરદેશર કોતવાલ જેવા અનેક નામો ગણાવી શકાય.વર્તમાન પેઢીએ પણ તે પરંપરા ચાલુ જ રાખી છે.આ એક જ નગર એવું છે.જ્યાં પ્રતિવર્ષ નગરપાલિકા ત્રિઅંકી નાટ્યસ્પર્ધા યોજે છે.ને નગર ની જ દસેક મંડળીઓં ભાર લે છે.
No comments:
Post a Comment